ગ્રંથમંદિર

આ પ્રકલ્પ એક નાનું પુસ્તકાલય છે. જેમાં આશરે એક હજાર પુસ્તકો હોય છે. ગ્રંથમંદિરમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો રાખવામાં આવે છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરે છે. આ પ્રકલ્પ પણ નિ:શુલ્ક છે.  ઉત્તમ વાંચન સામગ્રી લોકોને સહજ ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પનો આશય છે.

ગ્રંથમંદિર એટલે નાનું શેરી પુસ્તકાલય. તેમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો હોય છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરવાનું હોય છે. ઉત્તમ વાંચન સામગ્રી લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પ પાછળનો આશય છે.

આ પ્રકલ્પ માટે સમયદાન, સ્થલ દાન, પુસ્તક દાન, કબાટ દાનનો સહયોગ અને લોકભાગીદારીના ઉમદા વિચાર સાથે કુલ 34 ગ્રંથમંદિર શરૂ થયા છે.

વર્ષ -૨૦૧૭માં શ્રી જૈન વિશા ઓસવાલ ક્લબ, આંબાવાડી, અમદાવાદથી આ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી.

ગ્રંથમંદિરમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો હોય છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરવાનું હોય છે. ઉત્તમ વાંચન સામગ્રી લોકોને ધરઆંગણે ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પનો આશય છે.

  • ગ્રંથમંદિરના સભ્યપદ માટે કોઈપણ જાતની નોંધણી ફી કે ડીપોઝીટ લેવાતી નથી. આ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
  • ગ્રંથમંદિરમાંથી કોઈપણ સભ્ય એક સાથે વધુમાં વધુ બે પુસ્તક વાંચવા માટે ઘરે લઈ જઈ શકે છે.
  • ગ્રંથમંદિરમાંથી વાંચવા માટે લીધેલ પુસ્તક 21 દિવસમાં પરત કરવાનું હોય છે.
  • હાલમાં અમદાવાદમાં 13 અને ગુજરાતમાં 21 ગ્રંથમંદિરના કેન્દ્રો કાર્યરત છે.
  • આ પ્રકલ્પમાં 65 થી વધુ કાર્યવાકહો નિ:શુલ્ક સેવા આપે છે.