પુસ્તક પરબ

 

“પુસ્તકની પરબ” પ્રકલ્પ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ લોકભોગ્ય બન્યો છે. હાલમાં અમદાવાદ અને અમદાવાદ બહાર કુલ ૧૪૭ પુસ્તક-પરબના કેન્દ્રોમાં સફળતાથી આયોજન થાય છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:30 થી ૯.00 સુધી પુસ્તકની પરબનું આયોજન થાય છે. જે અંતર્ગત વિના મૂલ્યે શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે અને ભેટમાં પુસ્તકો, દાન સ્વરૂપે સ્વીકારવામાં પણ આવે છે. પ્રથમ પુસ્તક પરબ ૨ ઑક્ટોમ્બર – ૨૦૧૩માં શરૂ કરવામાં આવેલ હતી, સતત  વર્ષથી ચાલતી આ પરબમાં આશરે ત્રણ લાખ પચાસ હજારથી વધુ શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોની આપ-લે થયેલ છે.

પુસ્તક પરબના ઉદ્દેશ

પુસ્તક-પરબની મુલાકાતે આવનાર કોઈપણ વ્યક્તિ બે પુસ્તક કાયમ માટે વાંચવા લઈ જઈ શકે છે. એ વાંચી લીધા પછી પાછા પણ આપી શકે છે અથવા જેમને વાંચવાની ઈચ્છા હોય તેમને આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે મળતી પુસ્તક-પરબમાં પરત આપી શકે છે. સમાજમાં વધારેને વધારે પુસ્તકો વાંચે તે માટે માતૃભાષા અભિયાન દ્વારા થતી પુસ્તકની પરબનો ઉદ્દેશ છે.

 

 

  1. અમદાવાદ - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી:


  2. ગુજરાત - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી: